Posts

Showing posts with the label ભારતનાં રત્નો

જગદગુરુ આદિ આદિશંકરાચાર્ય

જગદગુરુ આદિ શંકરાચાર્ય શંકરાચાર્યનો જન્મ કેરળનાં કાલડી ગામમાં ઇસ 788 માં થયો હતો. તેઓ નામ્બુદ્રી બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતાં. એમનાં માતાનું નામ આર્યામ્બા હતું. ઘણી જ...

બિરસા મુંડા - આદિવાસી ક્રાંતિકારી

Image
આજે 15 નવેમ્બર, આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાનો જન્મદિવસ  બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875નાં દિવસે ઉલીહાતુ ગામ, રાંચી, ઝારખંડમાં થયો હતો. બિરસાએ  પ્રાથમિક શિક્ષા સાલ્ગ ગામમાં મેળવી ત્યારબાદ 1886માં ચાઈબાસા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. બ્રિટિશ સરકાર દ્વારા આદિવાસીઓ પર થતા અત્યાચારો જોઈ બિરસાનું મન વારંવાર વિચલિત થઇ જતું. 1894માં છોટાનાગપુરમાં ચોમાસું સારું ન થતા ભયંકર દુષ્કાળ અને મહામારી ફેલાઇ. આ સમયે બિરસાએ આદિવાસીને એકત્ર કર્યા અને બ્રિટિશ સરકાર સામે લગાન માફ કરાવવા આંદોલન કર્યું. આદિવાસીઓ બિરસા ને ભગવાન માનવા લાગ્યા. બિરસાએ આદિવાસીઓ ને નારો આપ્યો- "अबुआ: दिशोम रे अबुआ: राज" 'અમારા દેશમાં અમારું શાસન' આ નારા સાથે આદિવાસીઓ એ જળ, જમીન અને જંગલ માટે 'ઉલગુલાન આંદોલન' કર્યું. આદિવાસીઓ અંગ્રેજો સામે ઝૂક્યા નહિ. 1895 માં બિરસા ને પકડી લેવામાં આવ્યા અને 2 વર્ષ સુધી જેલમાં કેદ કરવામાં આવ્યા. બિરસા જેલમાં હોવા છતાં એમણે સળગાવેલી આંદોલનની આગ એમના શિષ્યો એ સળગતી જ રાખેલી. 1897માં જેલ માંથી બહાર આવતાં જ બિરસા એ 400 આદિવાસીઓ ને એકત્ર કાર્ય અને તીર-કા...

ક્રાન્તિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા

Image
જ 30 માર્ચ આજે ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્ય તિથિ છે. ભારતની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓને વર્માજી દ્વારા પ્રેરણા મળી હોવા થી એમને 'ક્રાન્તિગુરુ' કહેવામાં આ...

સરદારસિંહ રાણા

Image
સરદારસિંહ રાણા સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં કંથારીયા ગામ, લીંબડી, સુરેન્દ્રનગરમાં થયો હતો. રાણાજી મહાત્મા ગાંધીનાં સહાધ્યાયી હતા. પૂના ની ફર્ગ્યુસન કોલેજમાં લોકમાન્ય તિલક અને સુરેન્દ્રનાથ બેનરજીનાં સંપર્કમાં આવતા આઝાદી ચળવળમાં પ્રવેશ્યાં. 1900 માં લંડનમાં બાર-એટ-લો ના અભ્યાસ દરમિયાન શાયમજી કૃષ્ણ વર્માનાં સંપર્કમાં આવ્યા. વર્માજી ભારતની બહાર રહી આઝાદી ચળવળ ચલાવતા. રાણાજી વર્માજી અને મેડમ ભીખાયઇજી કામા એ મળીને લંડન માં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. 1907 માં લંડન માં આંતરરાષ્ટ્રીય સોશાલિષ્ટ પરિષદના પ્રથમ અધિવેશનમાં રાણાજી એ મેડમ ભીખાયઇજી કામા સાથે હિન્દુસ્તાન નો પ્રથમ ત્રિરંગો ધ્વજ ફરકાવેલો. ( આ ત્રિરંગો આજે પણ રાજુભાઇ રાણા સાહેબે સાચવી રાખેલો છે.) ભારતમાં બ્રિટિશ સરકાર પર જે જે  બૉમ્બ ધડાકા થતા તેમનાં તાર રાણાજી સુધી જોડાયેલા હતા. મદનલાલ ઢીંગરા એ કર્નલ વાયલીને જે બંદુક થી મારેલો એ બંદુક પણ રાણાજીની હતી. આઝાદીની ચળવળ સાથે રાણાજી એ શિક્ષણ ક્ષેત્રમાં પણ અતુલ્ય યોગદાન આપેલું હતું. સાવરકરજી સહીત કેટલાય યુવાનો એ રાણાજીની સ્કોલરશીપથી અભ્યાસ કરેલો હતો. રાણાજી એ એક લ...

ભગતસિંહના આદર્શ ક્રાંતિવીર કરતારસિંહ સરભા

Image
ક્રાંતિવીર ભગતસિંહ ના આદર્શ એવા મહાન ક્રાંતિકારી કરતારસિંહ સરભા જન્મ 24 મે 1896 માં પંજાબના લુધિયાણાના સરભા ગામે શીખ પરિવારમાં થયો હતો.મેટ્રીક લુધિયાણાની માળવા ખાલસા હાઇસ્કૂલમાં પાસ કર્યા બાદ 1912 માં કેલિફોર્નિયાની યુનિવર્સિટી University of California at Barkley માં કેમેસ્ટ્રી ની ડિગ્રી માટે પ્રવેશ મેળવ્યો. કરતારસિંહને બ્રિટિશ સરકાર સામે ખુબ રોષ હતો અને તેઓ નિર્ભય બનીને ખુલ્લે આમ વ્યક્ત પણ કરતાં, બ્રિટિશ સરકાર પ્રત્યેનો એમનો રોષ એટલો વધી ગયો કે 1913 માં ભારતને આઝાદ કરવાની ચળવળ માટે એમને ગદર પાર્ટી ની સ્થાપના કરી. તેમની ગદરપાર્ટી નું ધ્યેય વાક્ય હતું - " દેશની સ્વતંત્રતા માટે બધું જ દાવ પર લગાવી દો." ગદરપાર્ટીમાં ઘણા બધા યુવાનો જોડાયા. 1 નવેમ્બર 1913નાં રોજ ગદરપાર્ટી એ 'ગદર' સમાચારપત્ર બહાર પાડ્યું. આ સમાચારપત્રનો મુખ્ય ધ્યેય બ્રિટિશ સરકારનો સાચો ચહેરો સામે લાવવાનું હતું. આ ગદર સમાચારપત્ર હિન્દી ઉપરાંત પંજાબી,ગુજરાતી,બંગાળી,ઉર્દૂ અને પુશ્તો એમ કુલ 6 ભાષામાં પ્રકાશિત કરવામાં આવતું. આ સમાચારપત્ર ભારતમાં અને ભારત બહાર રેહતા ભારતીયો સુધી પહોંચ્યું. અને આથી જ થોડાક જ સ...

સર પ્રભાશંકર પટ્ટણી

Image
આજે 15 એપ્રિલ આજનાં દિવસે 1862માં ભાવનગર રાજ્યનાં દિવાન સર પ્રભાશંકર પટ્ટણીનો જન્મ થયો હતો. દેશ-પરદેશમાં પ્રતિષ્ઠા મેળવનાર, રાજનીતિજ્ઞોમાં સન્માન અને સદભાવ મેળવનાર, બ્રિટિશ સરકારમાં વિશ્વાસ અને માન મેળવનાર અને નાનપણ થી જ ગાંધીજીનાં વિશ્વાસુ મિત્ર એવા સર પ્રભાશંકર પટ્ટણીએ પોતાનું સર્વસ્વ ભાવનગર રાજ્યને આપી ભાવનગર રાજ્યને નાના રાજ્યમાંથી મોટા રાજ્યમાં ગૌરવ ભર્યું સ્થાન અપાવ્યું હતું. પ્રભાશંકરનો જન્મ 15 એપ્રિલ 1862માં મોરબી માં થયો હતો. તેઓ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ હતા. મૂળ અટક ભટ્ટ હતી પણ સાસરિયા માં કોઇએ તેમનું અપમાન કર્યુ અને તેમણે પોતાની અટક ભટ્ટ માંથી પટ્ટણી બદલી. તેમનાં પ્રથમ લગ્ન 1878માં  પ્રસિદ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજી નાં ભાઈ માનીભાઈની પુત્રી કુંકીબહેન સાથે થયા હતા. ફૂંકીબહેનનું અવસાન થતા પ્રભાશંકરનાં બીજા લગ્ન 1881માં ઝંડુ ભટજીનાં બીજા ભાઈ રાજવૈદ્ય વિશ્વનાથ વિઠ્ઠલજીની પુત્રી રામબહેન સાથે થયા હતા. ગુજરાતી માધ્યમમાં સાત ધોરણ ભણ્યા પછી મેટ્રીક કરવા રાજકુમાર કોલેજમાં ભણ્યા.ત્યાં સમસ્ત કાઠિયાવાડમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. ત્યારબાદ મુંબઈ મેડિકલ કોલેજ માં પ્રવેશ લીધો પણ સ્વાસ્થ્...