આજે 15 ઓક્ટોબર આપણાં 11માં રાષ્ટ્રપતિ આદરણીય એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ (Avul Pakir Jainulabdeen Abdul Kalam) નો જન્મદિવસ છે. કલામ સાહેબનો જન્મ 15 ઓક્ટોબર 1931નાં દિવસે હાલનાં ધનુષ્કાડી ગામ, રામનાથપુરમ જિલ્લો, તામિલનાડુમાં થયો હતો. (ત્યારે રામેશ્વરમ, રામનાદ જિલ્લો, મદ્રાસ પ્રેસિડેન્સી) હાઇસ્કુલનો અભ્યાસ Schwartz Higher Secondary School, Ramanathapuram માં થયો હતો. ત્યારબાદ 1954માં મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન Saint Joseph's College, Tiruchirappalli, માંથી physics -ફિઝિક્સ મેઈન વિષય સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ 1955 થી 1958માં મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT) માં aerospace engineering માં ડિગ્રી મેળવી. ડિગ્રી પૂર્ણ કર્યા બાદ કલામ સાહેબ 1960માં ભારત સરકારનાં Defence Research and Development Organisation (DRDO) ના Aeronautical Development Establishment વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે કાર્ય કરવાં જોડાયા. 1962 માં ડો.વિક્રમ સારાભાઈનાં અધ્યક્ષપદે ચાલતી કમિટી Indian National Committee for Space Research (INCOSPAR) અંતરિક્ષવિજ્ઞાનનાં ક્ષેત્રમાં કાર્ય કર્યું હતું....