Posts

Showing posts from April, 2017

બીજા સર સંઘચાલક શ્રીમાધવરાવને એક મુસ્લિમે લખેલો પત્ર

મુસ્લિમોની વટલાવવાની પ્રવૃત્તિથી ભારતમાં કોઈ અજાણ નથી, પણ શું તમને ખબર છે કે એક મુસ્લિમે સંઘનાં બીજા સરસંઘચાલાક શ્રી માધવરાવને પત્ર લખી એવી સલાહ આપી હતી કે મુસ્લિમ અંગીકાર કરવાથી બધું બરોબર થઇ જશે!! આ વાતની પુષ્ટિ ગુરુજીએ ગાંધી જન્મશતાબ્દી નિમિત્તે 6 ઓક્ટોબર 1969નાં દિવસે સાંગલીમાં થયેલ કાર્યક્રમમાં કરી હતી જે આ મુજબ છે- મને એક સૂફી મુસલમાનનો પત્ર મળ્યો. તેણે લખ્યું હતું- "દુનિયામાં આજકાલ ઈશ્વરને ન માનનારાઓનો પ્રભાવ વધી રહ્યો છે. એટલે આપણે ઈશ્વરને માનનારા લોકોએ એક થવું જોઈએ." આ સૂફી વ્યક્તિએ સુચન કર્યું તેમ દુનિયાનાં બધા ધર્મવાદીઓનું સંગઠન કેવી રીતે કરવું? આપણાં હિંદુ ધર્મનું ઉદાહરણ લઈએ, તેમાં કોઈ રામ કહે છે તો કોઈ કૃષ્ણ. તેમાં અનેક પંથભેદ છે. ભારતનો જૈનધર્મ જ લઈએ. તેને ઈશ્વરની કલ્પના જ માન્ય નથી. બૌદ્ધ ફક્ત બુદ્ધને જ માને છે. તે ઉપરાંત ઈસાઈ, મુસલમાન વગેરે અનેક પંથ છે. એવી સ્થિતિમાં ઈશ્વરવાદીઓ એકત્ર કેવી રીતે કરી શકાય? મેં તે સૂફી વ્યક્તિ સાથે મુલાકાત કરી અને પૂછ્યું- "આ કેવી રીતે શક્ય બને?" તેણે કહ્યું- "મારી પાસે એક ઉપાય છે અને તે એટલે બધાએ મુસલમાન થ