પ્રોફેસર હરિવલ્લભ ભાયાણી
આજે 26 મે સંસ્કૃત વિદ્વાન અને ગુજરાતી લેખક આદરણીય પ્રોફેસર હરિવલ્લભ ભાયાણીનો જન્મદિવસ. હરિવલ્લભ ભાયાણીનો જન્મ 26 મે 1917નાં દિવસે ભાવનગરનાં મહુવામાં થયો હતો.તેમનો પરિવાર જૈન સ્થાનકવાસી સંપ્રદાયની અનુઅયાયી હતો. 1934 માં મહુવાની M.N. Highschool માં મેટ્રીક પાસ કર્યા બાદ 1939માં ભાવનાગરની શામળદાસ આર્ટસ કોલેજમાં મુખ્ય વિષય સંસ્કૃત સાથે B.A. ની ડિગ્રી મેળવી. 1941માં ભારતીય વિદ્યાભવન મુંબઇમાંથી મુખ્ય વિષય સંસ્કૃત અને અર્ધમાગધી સાથે M.A. ની ડિગ્રી મેળવી. 1951 માં જૈનમુનિ જિનવીજયજીનાં માર્ગદર્શનમાં જૈનકવિ સ્વયંભુવદેવ દ્વારા અપભ્રંશ ભાષામાં લખાયેલ રામનાં જીવન આધારિત મહાકાવ્ય 'પૌમાચરીય' પર શોધકાર્ય કરી Ph.D. ની પદવી મેળવી. હરિવલ્લભજી 1945 થી 1965 સુધી ભારતીય વિદ્યાભાવનમાં પ્રોફેસર તરીકે રહ્યા ત્યારબાદ 1965 થી 1975 ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે રહ્યાં હતાં. 1980માં લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી ઇન્સ્ટિટયૂટમાં પણ યોગદાન આપેલ. એ જ વર્ષે કેરળના તિરુવનંતપુરમ સ્થિત ઇન્ટરનેશનલ સ્કુલ ઓફ દ્રવીડિયન લેન્ગવેસ્ટીક માં પણ વ્યાખ્યાન આપ્યાં હતા. 1993માં એમને લંડન યુનિવર્સિટીના