મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ 'ઋતુસંહાર'
સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કાલિદાસે સાત કૃતિઓ આપી છે. આ સાત કૃતિઓમાં બે નાની પદ્યકૃતિઓ છે. પદ્યકૃતિઓ એટલે કે માત્ર શ્લોકોનુ બનેલું કાવ્ય. વિદ્વાનોએ આવી કૃતિને ‘કાવ્યકૃતિ’ એવું પણ એક નામ આપ્યું છે. કાલિદાસની બે કાવ્યકૃતિઓમાં પ્રથમ ऋतुसंहारम् છે અને બીજી मेघदूतम् છે. અહીં વાત ऋतुसंहारम् ની કરવાની છે. ऋतुसंहारम् છ વિભાગોવાળું 147 શ્લોકોનું કાવ્ય છે. દરેક વિભાગને ‘સર્ગ’ એવું નામ આપવામાં આવ્યું છે. દરેક સર્ગમાં એક એમ ભારતવર્ષની છ ઋતુઓ ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, અને વસંતનું વર્ણન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ કાવ્ય સરળ સંસ્કૃત પદોવાળું છે. સામાસો (એક કરતા વધારે જોડાયેલા શબ્દો) નહિવત છે,ક્યાંક ક્યાંક નિમ્ન અને મધ્યમ સમાસ છે, ઉગ્ર સમાસ ને સ્થાન જ નથી આપ્યું. ऋतुसंहारम् માં કુદરતનાં પલટાતાં રંગની સાથે દરેક પરિવર્તનની માનવજીવન પર શું અસર થાય છે તે દર્શાવ્યું છે. પ્રકૃતિનાં પ્રાધાન્યમાં માનવોની ઉર્મિઓ અને ભાવો ને વણી લીધા છે. દરેક વર્ણન પ્રિયતમ પોતાની પ્રિયતમા ને કહે છે અથવા પ્રિયતમા પોતાનાં પ્રિયતમ ને કહે છે. ऋतुसंहारम् ની શરૂઆત બળબળતા પ્રચંડ સૂર્ય અને અને જેની શીતળતાની સ્પૃહા