Posts

संस्कृतेन एव विश्वे जागरणम्

पुणे - संस्कृतभाषया भारतं पुनः विश्वगुरुपदं प्राप्स्यति । संस्कृतं स्वीयं गौरवपूर्णं स्थानं पुनः लप्स्यते । इत्युद्गाराः संस्कृतभारत्याः अखिल भारतीय प्रचारमन्त्रिणा शिरीष भेडसगांवकरेण पुणेस्थिते सावरकरस्मृतिभवने समायोजिते संस्कृतदिवससमारोहे प्रकाशिताः । असौ तत्रोपस्थितान्संस्कृतानुरागिणः, सामाजिकात् च सम्बोधयति स्म । तेन ज्ञापितं भारतस्य गौरवमत्रं स्वर्णमयं स्वरूपं आसीत् । यतो हि पूर्वं संस्कृतं न केवलं शिक्षणे, प्रशासने, अर्थनीत्यां, कृषिक्षेत्रादिषु आसीत् अपितु नाटकादि मनोविनोदसाधनेष्वपि प्रावर्तत । अस्माकं ऋषिभिः निर्दिष्यः समरसता, समानाः विचाराः - बन्धुत्व भावना -संगठनभावाः सदृशाः उपदेशाः अस्मामिः विस्मृताः । अतएव अद्यतन चिन्ताकरीस्थितिः जायते । भारतस्यवैभवमपि तादृशं न विद्यते, न हि परस्परं आत्मभावःद्यश्यते देशस्यापि सततं अवनतिः भवति । शिरीषमहोदयैः पुनं प्रबलं ज्ञापितंयत् देशस्य उन्नत्यै अस्माकं जागरणं समभावस्थापनं संस्कृतेनैव प्राप्तुंशस्यते । संस्कृतपठनेन अस्माकं ऋषिवचनानां पालनं भविष्यति । तेषां वचनानांअनुपालनेन तत्र निहिताचरणेनैव भारतीयानां उन्नतिः प्राप्तुं शक्यते । रा

વિમળા માંથી નિર્મળા 1

"વિમળા થી નિર્મળા" ઉનાળાનાં દિવસો. સુરજ બરોબરનો તાપ વરસાવતો હતો. હાઇવે ને જોડતાં, ગામની બહાર જવાનાં પાછળનાં રસ્તા પર વિમળા એના બે દીકરાઓને લઈને ઉતાવળી જતી હતી. જેવી રીતે કોઈ ગાય કસાઈઓથી બચવા ઉતાવળી થાય એમ જ! વિમળાએ ફાટેલી સાડીનાં છેડાથી અડધું મોઢું ઢાંકયું હતું. અને એ જ સાડીથી કાખમાં તેડેલ બે વર્ષનાં નાના દીકરા ને તાપ થી બચાવવા ઢાંકી દીધેલો હતો. મોટો દીકરો દેવો પાંચ વર્ષનો. આંગળી એ પકડી ને નીકળી. "બા...બા....મારે પાણી પીવું  સે...બઉ તરસ લાગી સે!" "આજ થોડુંક સહન કરી લે મારા પેટ!, હમણાં હાઇવે પોગી જાહું... ઉતાવળો હાલ!" પ્રથમ વારનો પ્રયત્ન નિષ્ફળ ગયો પછી વિમળા બીજી વાર પોતાના સાસરેથી ભાગી નીકળી. આ એની પાસે છેલ્લી તક હતી. સાસરિયાઓનાં અત્યાચાર માંથી છુટવાની. થોડાંક આગળ જતાં જ મોટા દીકરાએ પહેરેલ એક સ્લીપર તુટયું. "બા....મને પગમાં બળે છે...મનેય તેડી લે ને!" "મારા પેટ! આ લે....તું મારા ચપ્પલ પેરી લે, જો તને તેડીશ તો હું ધીમી પડીશ અને હાઇવે પોગ્યાં પેલાં કોઈ જોઈ જશે તો....." નાના પગમાં વિમળાનાં પગનાં મોટા ચપ્પલ! એટલે પગ થોડા પાછળ પડવા લ

બીજા સર સંઘચાલક શ્રીમાધવરાવને એક મુસ્લિમે લખેલો પત્ર

મુસ્લિમોની વટલાવવાની પ્રવૃત્તિથી ભારતમાં કોઈ અજાણ નથી, પણ શું તમને ખબર છે કે એક મુસ્લિમે સંઘનાં બીજા સરસંઘચાલાક શ્રી માધવરાવને પત્ર લખી એવી સલાહ આપી હતી કે મુસ્લિમ અંગીકાર કરવાથી બધું બરોબર થઇ જશે!! આ વાતની પુષ્ટિ ગુરુજીએ ગાંધી જન્મશતાબ્દી નિમિત્તે 6 ઓક્ટોબર 1969નાં દિવસે સાંગલીમાં થયેલ કાર્યક્રમમાં કરી હતી જે આ મુજબ છે- મને એક સૂફી મુસલમાનનો પત્ર મળ્યો. તેણે લખ્યું હતું- "દુનિયામાં આજકાલ ઈશ્વરને ન માનનારાઓનો પ્રભાવ વધી રહ્યો છે. એટલે આપણે ઈશ્વરને માનનારા લોકોએ એક થવું જોઈએ." આ સૂફી વ્યક્તિએ સુચન કર્યું તેમ દુનિયાનાં બધા ધર્મવાદીઓનું સંગઠન કેવી રીતે કરવું? આપણાં હિંદુ ધર્મનું ઉદાહરણ લઈએ, તેમાં કોઈ રામ કહે છે તો કોઈ કૃષ્ણ. તેમાં અનેક પંથભેદ છે. ભારતનો જૈનધર્મ જ લઈએ. તેને ઈશ્વરની કલ્પના જ માન્ય નથી. બૌદ્ધ ફક્ત બુદ્ધને જ માને છે. તે ઉપરાંત ઈસાઈ, મુસલમાન વગેરે અનેક પંથ છે. એવી સ્થિતિમાં ઈશ્વરવાદીઓ એકત્ર કેવી રીતે કરી શકાય? મેં તે સૂફી વ્યક્તિ સાથે મુલાકાત કરી અને પૂછ્યું- "આ કેવી રીતે શક્ય બને?" તેણે કહ્યું- "મારી પાસે એક ઉપાય છે અને તે એટલે બધાએ મુસલમાન થ

જગદગુરુ આદિ આદિશંકરાચાર્ય

જગદગુરુ આદિ શંકરાચાર્ય શંકરાચાર્યનો જન્મ કેરળનાં કાલડી ગામમાં ઇસ 788 માં થયો હતો. તેઓ નામ્બુદ્રી બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતાં. એમનાં માતાનું નામ આર્યામ્બા હતું. ઘણી જગ્યા એ અંબિકા કે સતિ નામ પણ પ્રાપ્ત થાય છે. એમનાં પિતાનું નામ શિવગુરૂ હતું. નિઃસંતાન શિવગુરૂ-આર્યામ્બા ને ત્યાં શિવ કૃપા થી બાળકનો જન્મ થયો હોવાથી એમનું નામ 'શંકર' રાખવામાં આવ્યું. શંકર જન્મથી જ દિવ્ય અને અસામાન્ય બુદ્ધિ વાળા હતાં. જન્મનાં એક વર્ષમાં જ એમણે સંસ્કૃત મુળાક્ષરો શીખી લીધા હતાં. બીજા વર્ષે માતૃભાષામાં વાચનશક્તિ કેળવી. ત્રીજા વર્ષે કાવ્ય અને પુરાણોનો અભ્યાસ કર્યો. જન્મનાં ચોથા વર્ષે પિતાનું મૃત્યુ થયું અને શંકરની બધી જવાબદારી માતા પર આવી. માતા એ પાંચમા વર્ષે ઉપનયન સંસ્કાર ગ્રહણ કરાવ્યાં. અને શંકરે બ્રહ્મચર્યાશ્રમમાં તપસ્વી જીવન સાથે વિદ્યાદ્યયન શરું કર્યું. આઠમાં વર્ષે શંકરે માતા પાસેથી સંન્યાસની અનુમતિ લઇ ઇસ. 796માં નર્મદાકિનારે ગુફામાં રહેતા ગોવિંદપાદાચાર્ય વિદ્વાન સન્યાસી પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુ પાસે થી દર્શન-તત્વજ્ઞાનનાં બધા ગ્રંથોનું જ્ઞાન મેળવ્યું. ઉપરાંત ગુરુનાં ગુરુ ગૌડાપાદાચાર્ય અદ્

વિમળા થી નિર્મળા

"વિમળા થી નિર્મળા" ઉનાળાનાં દિવસો. સુરજ બરોબરનો તાપ વરસાવતો હતો. હાઇવે ને જોડતા, ગામની બહાર જવાના પાછળનાં રસ્તા પર વિમળા એના બે દીકરાઓને લઈને ઉતાવળી જતી હતી. જેવી રીતે ઉતાવળી ગાય કસાઈઓથી બચવા ઉતાવળી થાય એમ જ. વિમળાએ ફાટેલી સાડીનાં છેડાથી અડધું મોઢું ઢાંકયું હતું. અને એ જ સાડીથી કાખમાં તેડેલ બે વર્ષનાં નાના દીકરા ને તાપ થી બચાવવા ઢાંકી દીધેલો હતો. મોટો દીકરો દેવો પાંચ વર્ષનો. આંગળી એ પકડી ને નીકળી. "બા...બા....મારે પાણી પીવું  સે...બઉ તરસ લાગી સે!" "આજ થોડુંક સહન કરી લે મારા પેટ!, હમણાં હાઇવે પોગી જાહું... ઉતાવળો હાલ!" પ્રથમ વારનો પ્રયત્ન નિષ્ફળ ગયો પછી વિમળા બીજી વાર પોતાના સાસરેથી ભાગી નીકળી. આ એની પાસે છેલ્લી તક હતી. સાસરિયાઓનાં અત્યાચાર માંથી છુટવાની. થોડાંક આગળ જતાં જ મોટા દીકરાએ પહેરેલ એક સ્લીપર તુટયું. "બા....મને પગમાં બળે છે...મનેય તેડી લે ને!" "મારા પેટ! આ લે....તું મારા ચપ્પલ પેરી લે, જો તને તેડીશ તો હું ધીમી પડીશ અને હાઇવે પોગ્યાં પેલાં કોઈ જોઈ જશે તો....." નાના પગમાં વિમળાનાં પગનાં મોટા ચપ્પલ! એટલે પગ થોડા પાછળ પડવા

वेदांग અને वेदांत

वेदामृतम् - એક સરળ વાત - ૧ वेदांग અને वेदांत આ બે શબ્દોનું ઉચ્ચારણ સમાન રીતે થાય છે પણ બંનેનો અર્થ અલગ થાય છે અને બંનેનું અસ્તિત્વ પણ અલગ છે. वेदांग = વેદનાં અંગો. વેદનાં 6-છ અંગો છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. વેદનો પરંપરાગત અભ્યાસ કરવાનું ઇચ્છનારા વ્યક્તિ એ આ છ વેદાંગોનું જ્ઞાન હોવું જરૂરી છે. ( वेदामृतम् માં ઋગ્વેદ અને યજુર્વેદનો પરિચય જોયો, હવે वेदामृताम् માં આ છ વેદાંગોનો પરિચય આવશે, પછી શેષ બે વેદોનો પરિચય આવશે.) वेदांत = વેદનો અંતભાગ = ઉપનિષદ સાહિત્ય. વૈદિક સાહિત્યને આ ચાર ક્રમમાં વિભાજિત કરવામાં આવ્યું છે- ૧. વેદ સંહિતા-મંત્રો જેને આપણે ઋગ્વેદ-યજુર્વેદ-સામવેદ-અથર્વવેદ તરીકે ઓળખીએ છીએ. ૨. બ્રાહ્મણ સાહિત્ય-વેદમંત્રો થી ભિન્ન ગદ્ય-પદ્ય મંત્રોવાળું સાહિત્ય, દરેક વેદસંહિતાનાં પોતાના સ્વતંત્ર બ્રાહ્મણગ્રંથો છે. ૩.આરણ્યક સાહિત્ય- વેદમંત્રો થી ભિન્ન ગદ્ય-પદ્ય મંત્રોવાળું અરણ્ય=વનમાં રચાયેલું અને બોધપ્રદ વૈદિક આખ્યાનોવાળું સાહિત્ય. ૪.ઉપનિષદ સાહિત્ય - 'ઉપનિષદ' નો સામાન્ય અર્થ થાય છે ગુરુની પાસે જઈને નીચે બેસીને શિષ્ય વેદનું પરમજ્ઞાન મેળવે એ. દરેક

वेदामृतम् - ६ यजुर्वेद परिचय

Image
वेदामृतम् - ६ यजुर्वेद परिचय ચાર વેદોમાં ऋग्वेद પછી यजुर्वेद નું સ્થાન છે. વાયુપુરાણતો यजुर्वेद ને ऋग्वेद થી પણ જુનો કહે છે. એટલે ભલે ક્રમમાં બીજું સ્થાન છે પણ મહત્વતો ઋગ્વેદનાં જેટલું જ છે. આ યજુર્વેદનો વિસ્તારથી પરિચય જોઈએ. 1) यजुर्वेद પરિભાષા : यजुर्वेद નાં મંત્રોને यजु: = यजुष्  કહેવામાં આવે છે. આ यजु:  શબ્દનાં ઘણા અર્થ થાય છે, પણ મુખ્ય અર્થ 'યજ્ઞ' થાય છે. પાણિનિમુનિ એ यज्ञ ની ઉત્પત્તિ यज् = યજન કરવું ધાતુથી બતાવી છે. બ્રાહ્મણગ્રંથોમાં यजु: ને यज् ધાતુ સંબંધિત બતાવ્યું છે. આ રીતે यजु: , यज् અને यज्ञ ત્રણેય શબ્દો એકબીજાનાં પર્યાય બને છે. આ રીતે યજ્ઞમંત્રો દ્વારા પરમજ્ઞાન આપતો ગ્રંથ તે યજુર્વેદ. 2) यज्ञ નું વાસ્તવિક સ્વરૂપ -યજ્ઞ અહિંસાત્મક છે : યજુર્વેદનાં મંત્રો યજ્ઞનું પ્રતિપાદન કરનારા છે. આથી જ પ્રાચીન ભારતની યજ્ઞ સંસ્થાઓનાં પરિચય અને  યજ્ઞ સંબંધી અધ્યયન માટે યજુર્વેદને મહત્વ આપવામાં આવ્યું છે. યજ્ઞની બે ધારાઓ/પ્રકાર છે. એક યજ્ઞનું સનાતન રૂપ જેનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ અને બાદમાં સૃષ્ટિનું પોષણ અને પરિવર્તન થતું રહ્યું છે. બીજું યજ્ઞનું લૌકિક સ્વરૂપ જે સંકલ્પપૂર્