શહીદ ઉધમસિંહ
આજે ૩૧ જુલાઈ શહીદ ઉધમસિંહનો બલિદાન દિવસ. ઉધમસિંહનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯માં પંજાબનાં સંગરુર જિલ્લાનાં સુનામ ગામમાં થયો હતો.માતાપિતા એ રાખેલું નામ શેરસિંહ હતું. 1901માં માતાનું મૃત્યુ થયું અને 1907માં પિતાનું મૃત્યુ થયું. માતાપિતાનાં મૃત્યુ બાદ મોટાભાઈ મુકતાસિંહ સાથે અનાથ આશ્રમમાં રહેવા ગયા ત્યાં તેમનું નામ ઉધમસિંઘ રાખવામાં આવ્યું. 1917માં મોટાભાઈ મુક્તાસિંહનું મૃત્યુ થતા તેમણે અનાથ આશ્રમ છોડી દીધું અને આઝાદીની ચળવળમાં ક્રાંતિકારીઓ સાથે જોડાઈ ગયા. ઉધમસિંહ 1919માં થયેલા જલિયાંવાલાબાગ નરસંહારનાં પ્રત્યક્ષદર્શી હતાં. 13 એપ્રિલ 1919નાં દિવસે સિખોનો મોટો તહેવાર વૈસાખી હતો. આ દિવસે અંગ્રેજોનો રોલેટ એક્ટ, દમનકારી નીતિ અને નેતા સત્યપાલ અને સૈફુદ્દીનની ધરપકડનાં વિરોધમાં જલિયાવાલાબાગમાં મોટી સભા રાખવામાં આવી હતી. આ સભામાં 5000 જેટલાં ભાઈઓ-બહેનો-વૃદ્ઘો-બાળકો ભેગા થયા હતા. ઉધમસિંહ પણ આ સભામાં હાજર હતા.ત્યારે જલિયાંવાલાબાગનાં બહાર નીકળવાના મુખ્ય દરવાજે જનરલ ડાયર 90 અંગ્રેજ સૈનિકો સાથે આવી ત્યાં થી જ ગોળીબાર કરવાનો આદેશ આપી દીધો અને સભામાં ભેગા થયેલા 5000 નિર્દોષ લોકો પર ગોળીઓ નો વરસાદ થવા લાગ્યો