આજે 15 એપ્રિલ આજનાં દિવસે 1862માં ભાવનગર રાજ્યનાં દિવાન સર પ્રભાશંકર પટ્ટણીનો જન્મ થયો હતો. દેશ-પરદેશમાં પ્રતિષ્ઠા મેળવનાર, રાજનીતિજ્ઞોમાં સન્માન અને સદભાવ મેળવનાર, બ્રિટિશ સરકારમાં વિશ્વાસ અને માન મેળવનાર અને નાનપણ થી જ ગાંધીજીનાં વિશ્વાસુ મિત્ર એવા સર પ્રભાશંકર પટ્ટણીએ પોતાનું સર્વસ્વ ભાવનગર રાજ્યને આપી ભાવનગર રાજ્યને નાના રાજ્યમાંથી મોટા રાજ્યમાં ગૌરવ ભર્યું સ્થાન અપાવ્યું હતું. પ્રભાશંકરનો જન્મ 15 એપ્રિલ 1862માં મોરબી માં થયો હતો. તેઓ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ હતા. મૂળ અટક ભટ્ટ હતી પણ સાસરિયા માં કોઇએ તેમનું અપમાન કર્યુ અને તેમણે પોતાની અટક ભટ્ટ માંથી પટ્ટણી બદલી. તેમનાં પ્રથમ લગ્ન 1878માં પ્રસિદ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજી નાં ભાઈ માનીભાઈની પુત્રી કુંકીબહેન સાથે થયા હતા. ફૂંકીબહેનનું અવસાન થતા પ્રભાશંકરનાં બીજા લગ્ન 1881માં ઝંડુ ભટજીનાં બીજા ભાઈ રાજવૈદ્ય વિશ્વનાથ વિઠ્ઠલજીની પુત્રી રામબહેન સાથે થયા હતા. ગુજરાતી માધ્યમમાં સાત ધોરણ ભણ્યા પછી મેટ્રીક કરવા રાજકુમાર કોલેજમાં ભણ્યા.ત્યાં સમસ્ત કાઠિયાવાડમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. ત્યારબાદ મુંબઈ મેડિકલ કોલેજ માં પ્રવેશ લીધો પણ સ્વાસ્થ્ય સા