Posts

Showing posts from 2016

वेदांग અને वेदांत

वेदामृतम् - એક સરળ વાત - ૧ वेदांग અને वेदांत આ બે શબ્દોનું ઉચ્ચારણ સમાન રીતે થાય છે પણ બંનેનો અર્થ અલગ થાય છે અને બંનેનું અસ્તિત્વ પણ અલગ છે. वेदांग = વેદનાં અંગો. વેદનાં 6-છ અંગો ...

वेदामृतम् - ६ यजुर्वेद परिचय

Image
वेदामृतम् - ६ यजुर्वेद परिचय ચાર વેદોમાં ऋग्वेद પછી यजुर्वेद નું સ્થાન છે. વાયુપુરાણતો यजुर्वेद ને ऋग्वेद થી પણ જુનો કહે છે. એટલે ભલે ક્રમમાં બીજું સ્થાન છે પણ મહત્વતો ઋગ્વેદનાં જેટલું જ છે. આ યજુર્વેદનો વિસ્તારથી પરિચય જોઈએ. 1) यजुर्वेद પરિભાષા : यजुर्वेद નાં મંત્રોને यजु: = यजुष्  કહેવામાં આવે છે. આ यजु:  શબ્દનાં ઘણા અર્થ થાય છે, પણ મુખ્ય અર્થ 'યજ્ઞ' થાય છે. પાણિનિમુનિ એ यज्ञ ની ઉત્પત્તિ यज् = યજન કરવું ધાતુથી બતાવી છે. બ્રાહ્મણગ્રંથોમાં यजु: ને यज् ધાતુ સંબંધિત બતાવ્યું છે. આ રીતે यजु: , यज् અને यज्ञ ત્રણેય શબ્દો એકબીજાનાં પર્યાય બને છે. આ રીતે યજ્ઞમંત્રો દ્વારા પરમજ્ઞાન આપતો ગ્રંથ તે યજુર્વેદ. 2) यज्ञ નું વાસ્તવિક સ્વરૂપ -યજ્ઞ અહિંસાત્મક છે : યજુર્વેદનાં મંત્રો યજ્ઞનું પ્રતિપાદન કરનારા છે. આથી જ પ્રાચીન ભારતની યજ્ઞ સંસ્થાઓનાં પરિચય અને  યજ્ઞ સંબંધી અધ્યયન માટે યજુર્વેદને મહત્વ આપવામાં આવ્યું છે. યજ્ઞની બે ધારાઓ/પ્રકાર છે. એક યજ્ઞનું સનાતન રૂપ જેનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ અને બાદમાં સૃષ્ટિનું પોષણ અને પરિવર્તન થતું રહ્યું છે. બીજું યજ્ઞનું લૌકિક સ્વરૂપ જે સંકલ...

ઋગ્વેદ પરિચય

वेदामृतम् - ५ ऋग्वेद परिचय 'ઋગ્વેદ' શબ્દમાં બે પદો રહેલાં છે,  ઋક્ અને વેદ. ઋક્ નો અર્થ આવો થાય છે- "ऋच्यते स्तूयते अनया देवा: सा ऋक्" "જે મંત્રો દ્વારા દેવતાઓની સ્તુતિ કરવામાં આ...

चंदवरदाई कृत ज्वालामुखी स्तुति

Image
ज्वालामुखी स्तुति महाकवि चंदवरदाई पृथ्वीराज रासो के रचियता और पृथ्वीराज  चौहान के राजकवि द्वारा रचित श्री ज्वालामुखी स्तुति  नमस्ते भवानी दोहा चिंता विघन विनाषनी, क...

સ્વયંસેવકનું ભાષણ કેવું હોવું જોઈએ?

5 ડિસેમ્બર 1942 નાં દિવસે પ્રાંત ગ્રામીણક્ષેત્રનાં કાર્યકર્તાઓની બેઠક, પુણેમાં પૂજ્ય ગુરુજી એ ડૉક્ટરજી વિષે આપેલા ભાષણનો એક ભાગ. * * * * * * * ઉગ્રતાથી બોલવાથી વૃત્તિ બનતી નથી. "अधजल ...

સ્વયંસેવક કેવો હોવો જોઈએ?

Image
5 ડિસેમ્બર 1942 નાં દિવસે પ્રાંત ગ્રામીણક્ષેત્રનાં કાર્યકર્તાઓની બેઠક, પુણેમાં પૂજ્ય ગુરુજી એ ડૉક્ટરજી વિષે આપેલા ભાષણનો એક ભાગ. * * * * * * * આપણાં કામમાં માત્ર શ્રદ્ધાનો ગુણ હોય તે ...

પૂજ્ય ગુરુજીનું પ્રથમ ભાષણ

Image
તારીખ 3જી જુલાઈ, 1940. સંઘનાં આદ્ય સ્થાપક અને પ્રથમ સરસંઘચાલક ડોક્ટર હેડગેવારજીનાં મૃત્યુનો તેરમો દિવસ. નાગપુરનાં રેશમબાગ મેદાન ઉપર ડૉક્ટરજીનાં પાર્થિવ દેહને જ્યાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો એ જ જગ્યા ની સામે નવા સરસંઘચાલક ની જાહેરાત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય શ્રી બાબાસાહેબ પાધ્યે એ નવા સરસંઘચાલક તરીકે માધવરાવ સદાશિવરાવ ગોળવલકર "ગુરુજી" ની નિયુક્તિની ઘોષણા કરતું ભાષણ કર્યું. ત્યારબાદ ડૉક્ટરજીનાં વયોવૃદ્ધ કાકા શ્રી આબાજી હેડગેવારે નવા સરસંઘચાલક ને પ્રણામ આપતું ભાષણ કર્યું. ત્યારબાદ પૂજ્ય ગુરુજીએ નૂતન  સરસંઘચાલક તરીકે પોતાનું પ્રથમ ભાષણ કર્યું. જોઈએ આ ભાષણનાં થોડાક અંશો. "ડૉક્ટરજી સ્વયં એક ઉચ્ચ આદર્શ હતાં. આવા મહાપુરુષની પૂજા કરવામાં પણ મને અભિમાન થશે.....પરંતુ આ પૂજા અબીલ-ગુલાલ, ચોખા કે પુષ્પથી નહિ થાય. જેની પૂજા કરવાની છે એના જેવા થવાનો પ્રયાસ કરવો એ જ સાચી પૂજા છે. "शिवो भूत्वा शिव यजेत्" એ આપણાં ધર્મની વિશેષતા છે." "અમારા ડૉક્ટરજીએ મતમતાંતરોના કોલાહલમાં વિલીન થઇ જાય એવું નબળું સંગઠન અમારા હાથમાં સોંપ્યું નથી. અમાર...

ભારત રત્ન ડો.અબ્દુલ કલામ સાહેબ

Image
આજે 15 ઓક્ટોબર આપણાં 11માં રાષ્ટ્રપતિ આદરણીય એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ (Avul Pakir Jainulabdeen Abdul Kalam) નો જન્મદિવસ છે. કલામ સાહેબનો જન્મ 15 ઓક્ટોબર 1931નાં દિવસે  હાલનાં ધનુષ્કાડી ગામ, રામનાથપુરમ જિલ્લો, તામિલનાડુમાં થયો હતો. (ત્યારે રામેશ્વરમ, રામનાદ જિલ્લો, મદ્રાસ પ્રેસિડેન્સી) હાઇસ્કુલનો અભ્યાસ Schwartz Higher Secondary School, Ramanathapuram માં થયો હતો. ત્યારબાદ 1954માં મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન Saint Joseph's College, Tiruchirappalli, માંથી physics -ફિઝિક્સ મેઈન વિષય સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ 1955 થી 1958માં મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT) માં aerospace engineering માં ડિગ્રી મેળવી. ડિગ્રી પૂર્ણ કર્યા બાદ કલામ સાહેબ 1960માં ભારત સરકારનાં  Defence Research and Development Organisation (DRDO) ના Aeronautical Development  Establishment વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે કાર્ય કરવાં જોડાયા. 1962 માં ડો.વિક્રમ સારાભાઈનાં અધ્યક્ષપદે ચાલતી કમિટી Indian National Committee for Space Research (INCOSPAR) અંતરિક્ષવિજ્ઞાનનાં ક્ષેત્રમાં કાર્ય કર્યું હતું....

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ 'ઋતુસંહાર'

Image
સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કાલિદાસે સાત કૃતિઓ આપી છે. આ સાત કૃતિઓમાં બે નાની પદ્યકૃતિઓ છે. પદ્યકૃતિઓ એટલે કે માત્ર શ્લોકોનુ બનેલું કાવ્ય. વિદ્વાનોએ આવી કૃતિને  ‘કાવ્યકૃતિ’ એવું પણ એક નામ આપ્યું  છે. કાલિદાસની બે કાવ્યકૃતિઓમાં પ્રથમ   ऋतुसंहारम्  છે અને બીજી मेघदूतम् છે. અહીં વાત ऋतुसंहारम् ની કરવાની છે.   ऋतुसंहारम्  છ વિભાગોવાળું 147 શ્લોકોનું કાવ્ય છે. દરેક વિભાગને ‘સર્ગ’ એવું નામ આપવામાં આવ્યું છે. દરેક સર્ગમાં એક એમ ભારતવર્ષની છ ઋતુઓ ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, અને વસંતનું વર્ણન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ કાવ્ય સરળ સંસ્કૃત પદોવાળું છે. સામાસો (એક કરતા વધારે જોડાયેલા શબ્દો) નહિવત છે,ક્યાંક ક્યાંક નિમ્ન અને મધ્યમ સમાસ છે, ઉગ્ર સમાસ ને સ્થાન જ નથી આપ્યું. ऋतुसंहारम् માં કુદરતનાં પલટાતાં રંગની સાથે દરેક પરિવર્તનની માનવજીવન પર શું અસર થાય છે તે દર્શાવ્યું છે. પ્રકૃતિનાં પ્રાધાન્યમાં માનવોની ઉર્મિઓ અને ભાવો ને વણી લીધા છે. દરેક વર્ણન પ્રિયતમ પોતાની પ્રિયતમા ને કહે છે અથવા પ્રિયતમા પોતાનાં પ્રિયતમ ને કહે છે.   ऋतुसंहारम् ની  શરૂઆત બળબળતા પ્ર...

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કાલિદાસે સાત કૃતિઓ આપી છે. આ સાત કૃતિઓમાં બે નાની પદ્યકૃતિઓ છે. પદ્યકૃતિઓ એટલે કે માત્ર શ્લોકોનુ બનેલું કાવ્ય. વિદ્વાનોએ આવી કૃતિને  ‘કાવ્યકૃ...