वेदामृतम् - ४ 'वेद' નો અર્થ. 'वेद' શબ્દ 'જાણવું' અર્થવાળા સંસ્કૃત ધાતુ √विद ज्ञाने માંથી વ્યુત્પન્ન છે. જાણવું એ કોઈ નિશ્ચિત જ્ઞાન સાથે સંબંધિત છે, તો આ ક્યુ ચોક્કસ જ્ઞાન છે?? તો એનો જવાબ છે સંપૂર્ણ બ્રહ્માંડ અને તેના રહસ્યોનું જ્ઞાન. અને આ રહસ્યોની જ્ઞાન મેળવનાર જ્ઞાતાનું પોતાનું સાચું સ્વરૂપનું જ્ઞાન એ જ વેદનો મુખ્ય વિષય છે. નિરુક્તકાર આચાર્ય યાસ્કે 'વેદ' શબ્દની નિરુક્તિ આ રીતે આપી છે- 'ऋषिर्दर्शनात्' " ઋષિઓએ જે જોયું તે (મંત્રો) અથવા ઋષિઓને જે (મંત્રો) નાં દર્શન થયા તે વેદ." આ ઋષિઓનાં દર્શનમાં વિવિધ દેવોની સ્તુતિ દ્વારા જ્ઞાન, સૃષ્ટિ વિષયક જ્ઞાન, અને બ્રહ્મતત્વ વિષયક તત્વજ્ઞાન એ ત્રણ પ્રકારનાં જ્ઞાન નો સમાવેશ થાય છે. આચાર્ય સાયણ વેદોનાં પ્રખ્યાત ભાષ્યકાર છે. તેઓ 'વેદ'ની વ્યાખ્યા આપતા કહે છે- "આપણે પ્રત્યક્ષ પ્રમાણ (નજર સામે જોઈને) કે અનુમાન પ્રમાણ (મન થી અનુમાન કરીને) દ્વારા જે ઉપાય-જ્ઞાન ને જાણી નથી શકતાં તેને વેદ થી જાણી શકાય છે." વેદની એક વ્યાખ્યા આ પણ છે- "विद्यन्ते ज्ञायन्ते लभ्यन्ते वा एभिर्धर्म...